ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના પીપળી ગામ નજીક વર્ષ ૨૦૧૮ માં ૫ કાચબાનો શિકાર કરવામાં આવેલ હતો. જેનો ગુનો નોંધાયેલ હતો અને તે કેસ મોરબીની એડી. ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં બંને પક્ષની દલીલને ધ્યાને લઈને કોર્ટે બચાવ પક્ષના એડ્વોકેટની દલીલને ધ્યાને લઈને બંને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે, ગત તા. ૨૨/૦૬/૨૦૧૮ ના રોજ પીપળી ગામ રેવન્યુ ખરાબા વિસ્તારમાં ૫ કાચબાનો શીકાર કરી તેનુ મોત નીપજાવી કાચબાના માસના ટુંકડા બનાવ સ્થળે રાખી ભાગી ગયા હતા અને જે અંગે રેન્જ ફોરેસ્ટ ઓફીસ મોરબીમાં ફરીયાદ કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન બે આરોપીને પકડવામાં આવ્યા હતા. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદ પક્ષ કેસની હકીકત મુજબ પંચોની હાજરીમાં આરોપીની અટક થયેલ હોય તેમજ પંચોની હાજરીમા કાચબાના મૃતદેહની દફન વીધી થયેલ છે તેવી હકકીત શંકારહીત પુરવાર કરી શકેલ નથી. અને પીપળી ગામેથી પશુનુ માંસ તથા અવશેષ મળી આવેલ છે તેવુ જણાઈ આવે છે પરંતુ તે પશુ કાચબો હોય અને તેનો શીકાર આરોપીએ કરેલ હોય તે હકીકત શંકારહિત પુરવાર થતી નથી. આમ બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરી હતી જે દલીલના આધારે ઉપરોક્ત કેસમા કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં બંને આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયા રોકાયેલ હતા.






Latest News