ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં આરોપીનો જામીન ઉપર છુટકારો કરાયેલ છે. આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી હેનીલ હીતેષભાઈ રાઠોડ રહે.પ્રશાંત શેરી, કરણપરા-૧૮, કેસરીવાડી, રાજકોટ સામે બીએનએસ ની કલમ ૩૧૬ (૨) (૫), ૩૧૮ (૪), ૩૩૬ (૩), ૩૪૦(૨), મુજબ ગુન્હો નોંધીને અટક કરીને નામદાર નીચેની અદાલતમાં રજુ કરેલ હતી ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી 

મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) મારફત આરોપીએ મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક સત્ર ન્યાયધીશ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી.ઓઝાએ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલે તરેલ જેને ધ્યાને લઈને મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં મોરબીના કે.આર.પંડયા સાહેબએ આરોપી હેનીલ હિતેષભાઈ રાઠોડને ૫૦,૦૦૦ / ૫૦,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરેલ છે.આ કેસમાં આરોપી હેનીલ હીતેષભાઈ રાઠોડના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા.






Latest News