મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન


SHARE











માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન

માળીયા મીયાણાના સંધવાણી વાસમાં એક મહિનાથી પાણીની પાઇપ લાઇન તૂટી ગયેલ છે જેથી કરીને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અને તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો હવે આગામી બેથી ત્રણ દિવસમાં રિપેરિંગ કામ કરવામાં નહીં આવતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

માળીયા મીયાણા શહેરના સંધવાણી વાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પાઈપલાઈન તૂટી ગયેલ હાલતમાં છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેવી માહિતી માળીયા મીયાણાના સંધવાણી વાસ અસરફ હનીફ સંધવાણીએ આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, છેલ્લા એક મહિનાથી પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. તો પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અને તે વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય રહે છે, અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જો કે, સ્થાનિક લોકોએ અનેકવાર નગરપાલિકામાં અરજી આપી છે, પરંતુ સત્તાધીશો જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જો આગામી બે થી ત્રણ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News