ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન


SHARE











માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન

માળીયા મીયાણાના સંધવાણી વાસમાં એક મહિનાથી પાણીની પાઇપ લાઇન તૂટી ગયેલ છે જેથી કરીને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અને તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો હવે આગામી બેથી ત્રણ દિવસમાં રિપેરિંગ કામ કરવામાં નહીં આવતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

માળીયા મીયાણા શહેરના સંધવાણી વાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પાઈપલાઈન તૂટી ગયેલ હાલતમાં છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેવી માહિતી માળીયા મીયાણાના સંધવાણી વાસ અસરફ હનીફ સંધવાણીએ આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, છેલ્લા એક મહિનાથી પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. તો પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અને તે વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય રહે છે, અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જો કે, સ્થાનિક લોકોએ અનેકવાર નગરપાલિકામાં અરજી આપી છે, પરંતુ સત્તાધીશો જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જો આગામી બે થી ત્રણ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News