ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન


SHARE











માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન

માળીયા મીયાણાના સંધવાણી વાસમાં એક મહિનાથી પાણીની પાઇપ લાઇન તૂટી ગયેલ છે જેથી કરીને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અને તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો હવે આગામી બેથી ત્રણ દિવસમાં રિપેરિંગ કામ કરવામાં નહીં આવતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

માળીયા મીયાણા શહેરના સંધવાણી વાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પાઈપલાઈન તૂટી ગયેલ હાલતમાં છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેવી માહિતી માળીયા મીયાણાના સંધવાણી વાસ અસરફ હનીફ સંધવાણીએ આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, છેલ્લા એક મહિનાથી પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. તો પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અને તે વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય રહે છે, અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જો કે, સ્થાનિક લોકોએ અનેકવાર નગરપાલિકામાં અરજી આપી છે, પરંતુ સત્તાધીશો જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જો આગામી બે થી ત્રણ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News