ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહેલા યુવાનને કાળનો ભેટો: અકસ્માતમાં બે યુવાનોના મોત


SHARE











મોરબીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહેલા યુવાનને કાળનો ભેટો: અકસ્માતમાં બે યુવાનોના મોત

મોરબીના ગીડચ ગામેથી ટેકાના ભાવે મોરબીના યાર્ડમાં મગફળી વેચવા માટે મૂકી ગયા હતા ત્યાર બાદ બીજા દિવસે સવારે બે ભાઈ મોરબી આવી રહ્યા હતા ત્યારે તેનો કૌટુંબિક ભાઈ પણ તેની સાથે મોરબી આવતો હોય ત્રીપલ સવારી બુલેટમાં તે મોરબી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાણીના ટેન્કરના ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગીડચ ગામ પાસેથી ત્રીપલ સવારી બુલેટ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બુલેટ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે અકસ્માતના બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલ ભાવેશ લાભુભાઈ ટીડાણી (24) અને મહેશ પ્રેમજીભાઈ કુંવરિયા (27) નામના બે યુવાનોના ગંભીર ઇજા થયેલ હોવાથી મોત નીપજ્યા હતા જેથી તે બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા (24) નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં આ બનાવ સંદર્ભે મૃતક મહેશ કુંવરિયાના પિતા પ્રેમજીભાઈ કુંવરિયા સાથે ફોન ઉપર વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે તેઓની મગફળી વેચવા માટે થઈને સોમવારે સાંજે ત્યાં ટ્રેક્ટર મૂકીને આવ્યા હતા અને ત્યારબાદ મંગળવારે સવારે 10:00 વાગ્યાના અરસામાં તેમના બે દીકરા મહેશભાઈ અને અનિલભાઈ પોતાના ગામથી માર્કેટયાર્ડ જતા હતા ત્યારે તેમના કૌટુંબિક પૌત્રનો દીકરો ભાવેશ ટીડાણી પણ તેની સાથે મોરબી જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો અને અકસ્માતના આ બનાવમાં ભાવેશ તથા તેમના દીકરા મહેશનું મોત નીપજ્યું છે જ્યારે અનિલભાઈને ઇજા થ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.






Latest News