મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી : સુલતાનપુર ગામે બાઈક ભેંસ સાથે અથડાતા હળવદના યુવાનનું મોત


SHARE











મોરબી : સુલતાનપુર ગામે બાઈક ભેંસ સાથે અથડાતા હળવદના યુવાનનું મોત

હળવદ તાલુકાના મીંયાણી ગામનો યુવાન લઈને સુલતાનપુર ગામેથી જતો હતો તે દરમ્યાન ત્યાં તેનું બાઈક ભેંસની સાથે અથડાયુ હતું. આ બનાવમાં ઈજા પામેલ યુવાનનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું. પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના માળીયા (મીં) તાલુકાના સુલતાનપુર ગામે કામ સબબ ગયેલા અજયભાઈ કરશનભાઈ જીંજુવાડીયા નામનો 22 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગત તા.25/12 ના રાત્રીના આઠેક વાગ્યે તેનું બાઈક ભેંસની સાથે અથડાયું હતું. જે બનાવમાં ઈજાગ્રસ્ત હાલમાં અજય જીંજુવાડીયાને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જોકે ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ કરવામાં આવતા એ ડીવીઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમીક તપાસ કરીને વધુ તપાસ અર્થે માળીયા (મીં) પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માત
 મોરબી સામાકાંઠેના રાજ ફાટક સોલંકી પાન પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા પ્રતિક યોગેશભાઈ જોષી (27) રહે.લાલબાગ સામાકાંઠે મોરબી-2ને સારવારમાં ખસેડાયો હતો. ધ્રાંગધ્રા પાસેના બાયસાબગઢ પાસે બાઈક સ્લીપ થઈ જતા જાનીબેન ગોવાભાઈ મુંધવા (56) કંકાવટી તા.ધ્રાંગધ્રાને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. તેમજ હળવદ પાસેના સરા ગામના નરશીભાઈ વરમોરા (73)ને વાહન અકસ્માતમાં ઈજા થતા બેભાન હાલતમાં સારવાર માટે મોરબી લવાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબી-2 ભડીયાદના તળાવ નજીક બાઈક સ્લીપ થઈ જતા પ્રતિક જગદીશભાઈ વારનેસીયા (25) રહે. ધર્મસિધ્ધિ સોસાયટી મોરબીને ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો. તેમજ જાંબુડીયા ગામે મારામારીમાં ઘવાયેલા વિનોદભાઈ બાબુભાઈ વરાણીયા (40) રહે. જુના ઘુંટુ રોડને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે જેતપર- દેવળીયાના રસ્તે બાઈક સાથે બાઈક અથડાતા ઈજા પામેલ કુલદીપ કાંતિલાલ હમીરપરા (29) રહે. જીવાપર તા.મોરબીને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

દવા પી જતા સારવારમાં
 માળીયાના રાયસંગપર ગામે અકણ કારણોસર ઝેરી દવા પી જતા વિનોદભાઈ આંબાભાઈ રંગપરીયા (45)ને સારવાર માટે મોરબી ખસેડાયા હોય પોલીસે બનાવ અંગે તપાસ કરી હતી. ચુલી (ધ્રાંગધ્રા) નજીક રીક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા બાજુબેન બાવલભાઈ પઢીયાર રાજપુત (67) રહે. ચુલીને સારવાર માટે અત્રે આયુષમાં ખસેડાયા હતા. તેમજ વાવડી રોડ બાપા સીતારામ મઢુલી નજીક બાઈક પાછળથી નીચે પડી જતા જયાબેન માણસુરભાઈ અવાડીયા (75) રહે. મીરા પાર્કને સારવારમાં દવાખાને ખસેડાયા હતા.

 તેમજ શનાળા પાસેના લાયન્સનગરમાં થયેલી મારામારીમાં ઈજા પામેલા ધર્મિષ્ઠાબેન અનિલભાઈ બારોટ (33), વિશાલ અનિલભાઈ બારોટ (25) તથા મુકતાબેન અનિલભાઈ બારોટ (47) રહે. લાયન્સનગર શનાળાને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા






Latest News