જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર એક્ટિવા સ્લીપ થતા 34 વર્ષીય યુવાનનું મોત


SHARE











મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર એક્ટિવા સ્લીપ થતા 34 વર્ષીય યુવાનનું મોત

મૃતક કારખાનમાં સુપરવાઈઝર હતો, કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ,સફેદ પટ્ટા ન કર્યાં હોય, સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થયું : ઈજા થતા 34 વર્ષીય સંદીપ જાનીનું મોત

મૃતક મૂળ માળીયા (મી.)ના ઘાટીલાનો વતની, હાલ મોરબીના નાની વાવડી પાસે રહેતો, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત


મોરબી નજીક લીલાપર કેનાલ રોડ પર સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન કર્યાં હોય, સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થયું હતું. જેમાં ઈજા થતા 34 વર્ષીય સંદીપ જાનીનું સારવારમાં મોત નીપજ્યું હતું. મૃતક કારખાનમાં સુપરવાઈઝર હતો. કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બનેલો બન્યો હતો. બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, મૃતક સંદીપ મધુસુદનભાઈ જાની (ઉંમર વર્ષ 34) મૂળ મૂળ માળીયા (મી.)ના ઘાટીલા ગામનો વતની હતો. પણ હાલ મોરબીના નાની વાવડી પાસે પરિવાર સાથે રહેતો હતો અને રફાળેશ્વર પાસે આવેલ વિનાયક પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. તા. 26/12ના રોજ રાત્રે 9.30 વાગ્યાં આસપાસ સંદીપ પોતાના એક્ટિવા પર કારખાનેથી કામ પતાવી પોતાના ઘર તરફ જતો હતો.

ત્યારે મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયા પાટા વિસ્તારમાં પહોંચતા ત્યા રાત્રીના અંધારામાં સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. જેથી સંદીપને માથે અને શરીરે ઈજાઓ થઈ હતી.તેને મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે તેમણે દમ તોડી દીધો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ, સંદીપને સંતાનમાં બે દીકરીઓ છે. દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.

ગેરકાયદેસર સ્પીડ બ્રેકર દૂર કર્યાં
સૂત્રોએ જણાવ્યું કે, જ્યાં સંદીપ જાનીનું એક્ટિવા સ્લીપ થયું ત્યારે ગેરકાયદેસર સ્પીડ બ્રેકર હતું. એટલે કે કોઈ સ્થાનિકોએ પોતાની રીતે આ સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. અકસ્માતની ઘટના બનતા હાલ તંત્રએ આવા ગેરકાયદેસર સ્પીડ બ્રેકર દૂર કર્યાં હતા
 






Latest News