ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વતનમાં આવેલ બહાદુર દીકરીનું કરાયું અદકેરું સન્માન: મોરબીની પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ CISF ની ટ્રેનિંગ લીધા બાદ દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું


SHARE











મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ તાજેતરમાં સીઆઈએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું છે અને ત્યારબાદ તે પ્રથમ વખત પોતાના વતનમાં ઘરે આવી રહી હતી જેથી કરીને કંઝારીયા પરિવાર તથા મોરબીના લોકો દ્વારા તેનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

છેલ્લા વર્ષોમાં સેનામાં ભરતી થવા માટે ગુજરાતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અને તેમાં પણ સેનામાં જોડાયા બાદ ટ્રેનિંગ લઈને પરત આવતા યુવક કે યુવતી તેમજ નિવૃત્ત થઈને આવતા યુવક કે યુવતીઓનું અદકેરું સન્માન કરવામાં આવે છે તેવા સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે શનાળા ગામ નજીક આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા
મનજીભાઈ પોપટભાઈ કંઝારીયાની દીકરી પીન્ટુબેન કંઝારીયા ભારતીય સેનામાં સીઆઈએસએફ માં જોડાયેલ અને તેને કમાન્ડો સુધીની તાલીમ લીધા બાદ તાજેતરમાં તેનું સૌપ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થયું છે ત્યારબાદ તેઓ પ્રથમ વખત પોતાના ઘરે વતનમાં આવી રહ્યા હોય મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી કંઝારીયા, સતવારા સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા પીન્ટુબેન કંઝારીયાનું અઅદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે તેઓને સાલ ઓઢાડીને તેમજ રામ મંદિરની
પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ હતા. 






Latest News