મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વતનમાં આવેલ બહાદુર દીકરીનું કરાયું અદકેરું સન્માન: મોરબીની પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ CISF ની ટ્રેનિંગ લીધા બાદ દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું


SHARE











મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ તાજેતરમાં સીઆઈએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું છે અને ત્યારબાદ તે પ્રથમ વખત પોતાના વતનમાં ઘરે આવી રહી હતી જેથી કરીને કંઝારીયા પરિવાર તથા મોરબીના લોકો દ્વારા તેનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

છેલ્લા વર્ષોમાં સેનામાં ભરતી થવા માટે ગુજરાતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અને તેમાં પણ સેનામાં જોડાયા બાદ ટ્રેનિંગ લઈને પરત આવતા યુવક કે યુવતી તેમજ નિવૃત્ત થઈને આવતા યુવક કે યુવતીઓનું અદકેરું સન્માન કરવામાં આવે છે તેવા સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે શનાળા ગામ નજીક આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા
મનજીભાઈ પોપટભાઈ કંઝારીયાની દીકરી પીન્ટુબેન કંઝારીયા ભારતીય સેનામાં સીઆઈએસએફ માં જોડાયેલ અને તેને કમાન્ડો સુધીની તાલીમ લીધા બાદ તાજેતરમાં તેનું સૌપ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થયું છે ત્યારબાદ તેઓ પ્રથમ વખત પોતાના ઘરે વતનમાં આવી રહ્યા હોય મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી કંઝારીયા, સતવારા સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા પીન્ટુબેન કંઝારીયાનું અઅદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે તેઓને સાલ ઓઢાડીને તેમજ રામ મંદિરની
પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ હતા. 






Latest News