તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામે યુવાને ઝેરી દવા પીને, મોરબીના રાજપર રોડે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યા


SHARE











માળીયા (મી)ના ખીરઈ ગામે યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત: મોરબીના રાજપર રોડે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે વાડીએ રહેતા યુવાને ઝેરી દવા પીને તથા મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ ગુમિયાભાઈ નાયક (35) એ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવા અંગેની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્ની બે વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને મૃતક યુવાન ગુમસૂમ રહેતો હતો દરમિયાન તે જિંદગીથી નાસીપાસ થઈ ગયો હોવાના કારણે તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં તિરૂપતિ પેપર્સ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરતકુમાર હરિરામ પુરોહિત (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.






Latest News