મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ગુજરાતની ગીર અને કાંરેજ ગાય, કાઠીયાવાડી-મારવાડી ઘોડા અને ગીરના સિંહ ગુજરાતની આગવી ઓળખ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી


SHARE











ગુજરાતની ગીર અને કાંરેજ ગાય, કાઠીયાવાડી-મારવાડી ઘોડા અને ગીરના સિંહ ગુજરાતની આગવી ઓળખ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

વાંકાનેરમાં યોજાયેલ કામા અશ્વ રમતોત્સવમાં આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ગાય, ઘોડો અને સિંહ એ ગુજરાતની આગવી ઓળખ છે અને તેના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેવા સમયે વાંકાનેરના આંગણે યોજાયેલ અશ્વ કામા શો પશુપાલકો અને ખાસ કરીને અશ્વપાલકો માટે પ્રોત્સાહન રૂપ સાબિત થશે.

વાંકાનેરના આંગણે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ અને કામા સોસાયટીના સહયોગથી વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અશ્વ કામા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા અને તેઓની સમક્ષ પોલીસ વિભાગના માઉન્ટેન ઘોડા સવારો દ્વારા જુદા જુદા કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ગીરના સિંહ, ગીર અને કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠીયાવાડી તથા મારવાડી ઘોડાએ ગુજરાતની એક આગવી ઓળખ છે આટલું જ નહીં પરંતુ ગાય અને ઘોડાએ પશુપાલકો અને ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રતિપણ માનવામાં આવતું છે ખાસ કરીને તેઓએ વાંકાનેરના મહારાણા સ્વર્ગીય દિગ્વિજયસિંહ ઝાલાને યાદ કર્યા હતા અને તેમણે પર્યાવરણ અને પ્રકૃતિ માટે કરેલ કામોને યાદ કર્યા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વૈદિક કાળથી આપણી સંસ્કૃતિ અને ધરોહરમાં વીર અને શૌર્યવાન યોદ્ધાઓની સાથે ગાય, સિંહ અને અશ્વનું મહત્વ સવિશેષ રહ્યું છે. ગાય અને અશ્વને આદિકાળથી સમૃદ્ધિના પ્રતિક માનવામાં આવ્યા છે. ત્યારે આપણી સંસ્કૃતિ અને વિરાસતના આ અભિન્ન અંગને બચાવવાની આપણી સૌની જવાબદારી છે. અને ખાસ કરીને કામા રમતોત્સવ અંતર્ગત અશ્વના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેનાથી અશ્વ પાલકોને ખૂબ મોટું પ્રોત્સાહન મળે છે.

વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે મિશન મોડ પર કામગીરી શરૂ કરાવી છે. પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય ખૂબ મહત્વ છે આટલુ જ નહીં અને દેશની આર્થિક સમૃદ્ધિ અને ખેડૂતની સમૃદ્ધિનો આધાર ગાય છે. દેશી ગાયોની નસલો લુપ્ત થતી જાય છે જેને બચાવવી ખૂબ જરૂરી છે. આયુર્વેદમાં ગાયનું ગૌમૂત્ર અમૃત સમાન છે, દેશી ગાયનું ગૌમુત્ર બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવે છે. ભારતની દેશી ગાયનું દૂધ અમૃત સમાન છે.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જસદણ સ્ટેટ સત્યજિતકુમાર ખાચર, ગોંડલ સ્ટેટ હિમાંશુસિંહ જાડેજા, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, કલેકટર કે.બી. ઝવેરી, પશુ પાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી.સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસો.ના અજીતસિંહ ગોહિલ સહિત આગેવાનો તેમજ અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News