મોરબીમાં મામાની દીકરી પાસે પૈસાની ઉઘરાણી કરવા ગયેલા ધ્રોલના વિશાલને ધોકાથી ફટકાર્યો, રાજકોટ ખસેડાયો
વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું : બે યુવક ઈજાગ્રસ્ત
SHARE
વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું : બે યુવક ઈજાગ્રસ્ત
પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા રાજકોટ સિવિલમાં દાખલ
વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું ખેલાયું હતું. જેમાં બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા રાજકોટ સિવિલમાં દાખલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેરમાં શક્તિ કોલોની પાસે હસનપરામાં રહેતા અમરા ટીડાભાઇ સરૈયા (ઉંમર વર્ષ 36)એ એક ખેડૂતની વાડી વાવવા માટે રાખી હતી. ત્યાં તે ખેત મજૂરી કરે છે. જ્યારે ત્યાં જ રહેતો ગોવિંદ ધનજીભાઈ વાજેલીયા (ઉંમર વર્ષ 21) પશુપાલન કરે છે. ગઈકાલે ગોવિંદ બકરા લઈ અમરાની વાડીમાં ઘુસી ગયો હતો. અમરાએ હવે બકરા વાડીમાં ન આવવા જોઈએ તેવી ચેતવણી આપી હતી. તેમ છતાં બીજીવાર બકરા વાડીમાં ઘુસી ગયા હતા. જેથી અમરાએ ગોવિંદને આ અંગે કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.
અમરાએ વાડી માલિક અને અન્ય શખ્સોને બોલાવ્યા હતા. જેમાં માથાકૂટ વધતા મારાંમારી થઈ ગઈ હતી. અમરા અને તેની સાથેના લોકોએ પાઇપ ધોકાથી ગોવિંદને માર માર્યો હતો. જ્યારે ગોવિંદે પથ્થરના ઘા કરતા અમરાંને ઈજા થઈ હતી. પોલીસે બંને ઈજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ કરી હતી









