મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું : બે યુવક ઈજાગ્રસ્ત


SHARE











વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું : બે યુવક ઈજાગ્રસ્ત

પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા રાજકોટ સિવિલમાં દાખલ

વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું ખેલાયું હતું. જેમાં બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા રાજકોટ સિવિલમાં દાખલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેરમાં શક્તિ કોલોની પાસે હસનપરામાં રહેતા અમરા ટીડાભાઇ સરૈયા (ઉંમર વર્ષ 36)એ એક ખેડૂતની વાડી વાવવા માટે રાખી હતી. ત્યાં તે ખેત મજૂરી કરે છે. જ્યારે ત્યાં જ રહેતો ગોવિંદ ધનજીભાઈ વાજેલીયા (ઉંમર વર્ષ 21) પશુપાલન કરે છે. ગઈકાલે ગોવિંદ બકરા લઈ અમરાની વાડીમાં ઘુસી ગયો હતો. અમરાએ હવે બકરા વાડીમાં ન આવવા જોઈએ તેવી ચેતવણી આપી હતી. તેમ છતાં બીજીવાર બકરા વાડીમાં ઘુસી ગયા હતા. જેથી અમરાએ ગોવિંદને આ અંગે કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

અમરાએ વાડી માલિક અને અન્ય શખ્સોને બોલાવ્યા હતા. જેમાં માથાકૂટ વધતા મારાંમારી થઈ ગઈ હતી. અમરા અને તેની સાથેના લોકોએ પાઇપ ધોકાથી ગોવિંદને માર માર્યો હતો. જ્યારે ગોવિંદે પથ્થરના ઘા કરતા અમરાંને ઈજા થઈ હતી. પોલીસે બંને ઈજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ કરી હતી






Latest News