હળવદના રાયસંગપર ગામે રહેતા યુવાનને માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને આયખુ ટુંકાવ્યુ
વાંકાનેરમાં ઘરની અંદર એસિડ પી ગયેલ આધેડ મહિલાનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરમાં ઘરની અંદર એસિડ પી ગયેલ આધેડ મહિલાનું સારવારમાં મોત
વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામે રહેતા આધેડ મહિલાએ પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતુ જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
વાંકાનેરના ચંદ્રપુરમાં રહેતા વસંતબેન મનોજભાઈ પરમાર (52) નામના આધેડ મહિલાએ ગઈકાલે બપોરે એકાદ વાગ્યા પહેલા કોઈ પણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે
વરલી જુગાર
મોરબીના રંગપર બેલા ગામની સીમમાં આવેલ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સલીમભાઈ જુમાભાઇ મેર (38) રહે વિજયનગર મોરબી વાળો મળી આવતા પોલીસે 330 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે