ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામે રહેતા યુવાનને માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને આયખુ ટુંકાવ્યુ


SHARE











હળવદના રાયસંગપર ગામે રહેતા યુવાનને માતા પિતાએ કામ ધંધો કરવાનું કહેતા ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

હળવદના રાયસંગપર ગામે રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો જે બાબતે તેના માતા પિતાએ તેને કામ ધંધો કરવા માટે કહ્યું હતું અને તે યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર લોખંડની એંગલ સાથે વાયર બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (34) નામના યુવાને પોતે પોતાના રહેણાંક મકાનમાં લોખંડની એંગલ સાથે ડીસ કેબલનો વાયર બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવની સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા (51) રહે. રાયસંગપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી કરીને તેના માતા-પિતાએ તેને કામ ધંધો કરવા માટે થઈને કહ્યું હતું તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News