વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ શેરી નં. 4 માં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો મનપાએ તોડી પાડ્યા


SHARE











મોરબીના લાતી પ્લોટ શેરી નં. 4 માં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો મનપાએ તોડી પાડ્યા

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર 4 માં રસ્તા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે આજે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે 20 જેટલા પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવીને તે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સ્ટ્રોંમ વોટર તથા ગટર લાઈનનું કામ મંજુર થયું છે તે કામ કરવા માટે થઈને આ ગેરકાયદેસર દબાણો હતા તેને તોડી પાડવામાં આવ્યો હતો.

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા કાચા પાકા ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે તેવામાં આજે મહાપાલિકાની ટીમ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં લાતો પ્લોટ શેરી નં.4 માં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને 20 જેટલા પાકા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા આ અંગે વધુમાં માહિતી આપતાં મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, લાતી પ્લોટ વિસ્તારમાં ગટર લાઈન અને સ્ટ્રોમ વોટરની લાઈન પાથરવા માટેનું કામ મંજુર થયું છે અને તે કામમાં નડતરરૂપ થતા દબાણને તોડી પાડવા માટેની આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લાતી પ્લોટના તમામ રસ્તા સરેરાશ 9 મીટર પહોળા છે જોકે શેરી નંબર 4 માં માત્ર 5 મીટર પહોળો રસ્તો હતો જેથી કરીને રોડની બંને સાઈડમાં કરવામાં આવેલ તમામ દબાણને તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે






Latest News