મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૮૦ કરોડ જેવી ભારે મોટી રકમનાં બેનામી વ્યવહાર થયા તેની તપાસ કોણ કરશે..? : રમેશ રબારી


SHARE













મોરબીમાં ૧૮૦ કરોડ જેવી ભારે મોટી રકમનાં બેનામી વ્યવહાર થયા તેની તપાસ કોણ કરશે..? : રમેશ રબારી

મોરબી જિલ્લાના રવાપર ગામે આવેલ જમીન સર્વે નંબર ૧૮૧ પૈકી ૧ માં આવેલ પ્લોટ ક્ષેત્રફળ એકર ૨-૨ ગુંઠા વાળો પ્લોટ મોરબીનાં જવાબદાર રાજકિય પક્ષનાં મોટા માથાએ રૂા.૧૮૦ કરોડમાં ખરીદ કરી દસ્તાવેજ બનાવેલ છે અને આ પ્લોટ પર સરકારનાં પ્રસ્થાપિત નિયમોનો ભંગ કરી મંજુરી વિના મોટા મોલ તથા રહેણાંક માટેના બહુમાળી ફ્લેટો, શોપીંગ સેન્ટર બનાવી કલ્પનાતીત મોટી કિંમતોમાં વેચાણ કરાશે અને માણસોના જાનમાલને નુકશાન ન થાય તે માટેની પણ કોઈ સુવિધા રાખવામાં આવેલ ન હોય ઉચ્ચકક્ષા આ બધા વિષયોની મૂળથી તપાસ કરીને મોટામાથાઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ મોરબીના માલધારી આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ કરેલ છે.

વધુમાં રમેશભાઇે પ્રશ્ન ઉઠાવ્યો છેકે આ મોટા રાજકારણી આવડી મોટી રકમ કયાંથી અને કેવી રીતે આપેલ છે ? તેમની આવકની તપાસ થવાની પણ માંગણી કરવામાં આવેલ છે. આ રાજકિય મોટા માથા કોણ છે ? અને તેની હાલની નાણાંકીય અને ભૂતકાળમાં તેઓની નાણાંકિય પરિસ્થિતી શું હતી ? તેની પણ તપાસ થવી જોઈએ. આ રાજકિય નેતાએ આવા મોટી રકમનાં મોરબી જિલ્લા સહિત અનેક જગ્યાએ અગાઉ પણ સોદાઓ કરેલ છે કે કેમ ? તેની પણ તપાસ થવી જરૂરી છે.

મોરબી જિલ્લામાં અનેક ધનાઢય લોકો રહે છે પણ અત્યાર સુધીમાં આવી જાતના વેચાણ દસ્તાવેજ અમારા માનવા મુજબ થયા નહીં હોય.તો ખરેખર જમીનની કિંમત અને થયેલ વેચાણ દસ્તાવેજની ચોકકસ રકમ સહિત વધારાની બેનંબરી લેતીદેતીની કડકપણે અને તટસ્થપણે તપાસ થવા રમેશભાઇ રબાપીએ માંગ કરેલ છે.આ ઈમારત બનતા સ્થાનિકે જમીન-મકાનના વહીવટમાં ભારે ઉછાળો થશે.જે સ્થાનિક લોકો માટે આફતરૂપ બનવા સંભવ હોઈ અને આ સોદામાં કાળા નાણાંનો વ્યવહાર થયાની સ્થાનિકે ચર્ચા હોય સમાજના હિતમાં યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગ ભારતના આવકવેરા વિભાગ સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ કરેલ છે.






Latest News