ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીની ઓરડીમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસથી પાણી પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત


SHARE











માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીની ઓરડીમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસથી પાણી પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતા ઓરડીમાં હતી ત્યારે ભૂલથી કપાસમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાં પાણી પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં દિનેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અશ્વિનભાઈ ભુપતભાઈ ધાણકાપગીના પત્ની બુધલીબેન ધાણકાપગી (19) તા.4 /12 ના રોજ વાડીની ઓરડીએ હતા ત્યારે ત્યાં ભૂલથી કપાસમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાં પાણી લઈને પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાના કારણે તેને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને દાખલ કરીને તેની સારવાર કરવામાં આવી રહી હતી તેવામાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે






Latest News