મોરબીના ખાખરાળા ગામે જીવજંતુ કરડી જતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
SHARE
મોરબીના ખાખરાળા ગામે જીવજંતુ કરડી જતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને કોઈ જીવજંતુ કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા લક્ષ્મણભાઈ મોતીભાઈ વણોલ (46) પોતે પોતાના ઘરે હતા દરમિયાન તેને કોઈ જીવજંતુ કરડી ગયું હતું જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ચાલુ દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે