ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત


SHARE











વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઇક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પામેલા 26 વર્ષીય કેતન રાઠોડને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આ યુવાન 3 બહેનનો એકનો એક ભાઈ હતો. અને તે સીએનજી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. અને ગઈકાલે રાત્રે નાસ્તો લેવા માટે જતો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બનેલ છે.

વાંકાનેરમાં ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) નામનો યુવાન ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતે બાઇક ચલાવીને જતો હતો ત્યારે ઢુવા ચોકડી પાસે અજાણ્યા બાઇક ચાલક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. વધુમાં મૃતક યુવાનના પરિવાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ત્રણ બહેન અને એકનો એક ભાઈ હતો અને તે સીએનજી પંપ માં નોકરી કરતો હોય ત્યાંથી સાથી કર્મચારીઓ અને તેના માટે નાસ્તો લેવા ગયો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો






Latest News