વાંકાનેરમાં તા.૧૩ ના રોજ શાનદાર વાઇજ શરીફનો પ્રોગ્રામ યોજાશે
SHARE
વાંકાનેરમાં તા.૧૩ ના રોજ શાનદાર વાઇજ શરીફનો પ્રોગ્રામ યોજાશે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં તા.૧૩ ને શનિવારના રોજ જશ્ને મદારૂલ આલમિનના મોકા ઉપર ઉર્ષ હુઝુર શૈખુલ હિન્દ તેમજ અનવારે મિલ્લત (ર.અ.) મુબારક ઉપર ખાસ મહેમાન મદહે બાગે નબી, ઔલાદે અલી, કિબ્લાએ આશેકિન, ઉસ્તાઝુલ વાએઝીન શહઝા-દાએ હસ્સાનુલ હિંદ, સાયરે ઈસ્લામ હઝરત અલ્લામા અશ્શાહ મુફ્તી સૈયદ શજરઅલી કિબ્લા જાફરી વકારી મદારી (ફાઝીલે સાઉથ આફ્રિકા), મકનપુર શરીફ તથા ફાઝીલે નૌજવા સૈયદ સોહૈલ કાદરી ફાતમી તથા હાફીઝ સમીર અસરફી પેશ ઈમામ ખીજડીયા અને મૌલાના મઝીદબાપુ નાની ચિરઈ તા.૧૩ ને શનિવારના રોજ ગુલશન પાર્ક ચીશ્તીયા મસ્જિદ પાસે વાંકાનેર ખાતે શાનદાર વાએઝ શરીફ તથા નાત શરીફનો શાનદાર જલ્સો રાખવામાં આવ્યો છે.તો તમામ મુસ્લિમ બિરાદરો ખાસ હાજરી આપી સવાબેદારીન હાસીલ કરશો તેવી આયોજક ઈમ્તિયાઝ દિવાન તથા સિકંદર બાપુએ અખબાર યાદીમાં જણાવેલ છે.