ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામોની સંકલનની બેઠકમાં કરાઈ ચર્ચા


SHARE











મોરબીમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામોની સંકલનની બેઠકમાં કરાઈ ચર્ચા

મોરબી મહાપાલિકામા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી, ડ્રેનેજ સહિતના વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામોનો વેરો ભરવા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સ્વભંડોળના કામો, નવી ગ્રામ પંચાયતમાં થનાર નાણાપંચના કામો, જનભાગીદારી યોજના હેઠળના કામો તથા પાણી અને ડ્રેનેજના કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકામાં જોડાયેલ ગ્રામ પંચાયતના વેરા સ્વીકારવા સહિતના કામોની ચર્ચા કરાઈ હતી. તેમજ નવી સમાવેશ કરાયેલ ગ્રામ પંચાયતની 15માં નાણાપંચની ગ્રાન્ટ વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયત મારફત અપાશે. જેમાં 4.76 કરોડ તબક્કાવાર મહાપાલિકાને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, રવાપર રોડ અને બોરીયા પાટીના તળાવ બ્યુટીફિકેશનનું કામ, તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. તથા સફાઈ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ છે. અને ખાસ કરીને ગ્રામ પંચાયતમાંથી આવેલ મિલ્કતોનો મહાપાલિકાના નિયમ મુજબ વેરો લેવો કે પંચાયતના નિયમ મુજબ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.






Latest News