ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મઢમાંથી 500 ગ્રામ ચાંદીના બે છત્તરની ચોરીના ગુનામાં એક આરોપી ઝડપાયો


SHARE











વાંકાનેરના કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મઢમાં માતાજીના ફોટા ઉપર ચડાવેલ ચાંદીના બે છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40,000 રૂપિયા ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે.

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા હેમંતભાઈ ધુળાભાઈ રંગપરા (35)એ વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઇ જાદવ રહે. મોટીમોલડી તાલુકો ચોટીલા તથા એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢએ આરોપીઓ બાઈક લઈને આવ્યા હતા અને ત્યાં માતાજીના ફોટો ઉપર ચડાવવામાં આવેલ 500 ગ્રામ ચાંદીના બે છત્તર ની ચોરી કરીને લઈ ગયેલ છે જેથી 40,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી જયેશભાઈ બાબુભાઈ મકવાણા રહે. ખારચીયા તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે. અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News