મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરીને અંગુઠો કાપી નાખવાના ગુનામાં બે આરોપીને 10 વર્ષની સજા


SHARE











મોરબીમાં મહિલા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરીને અંગુઠો કાપી નાખવાના ગુનામાં બે આરોપીને 10 વર્ષની સજા

મોરબીમાં આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતી મહિલાને ત્યાં રહેવા માટે આવેલ મહિલાના પતિ અને દિયરે મહિલા પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો જેની ફરિયાદ આધારે બંને આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને 10 વર્ષની સજા અને 31-31 હજારનો દંડ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રેશ્માબેન ગીરીશભાઈ વિડજાએ વર્ષ 2017 માં ભીખા રૂપાભાઈ પરમાર અને અશોક રૂપાભાઈ પરમાર સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાંતાબેનને તેના પતિ ભીખા પરમાર સાથે અણબનાવ હતો જેથી કરીને તે ફરિયાદીના ઘરે આવીને રહેતા હતા તે બાબત મનદુઃખ રાખીને રેશ્માબેન એક્ટિવા લઈને જતાં હતા ત્યારે તેને રોક્યા હતા. ત્યારે આરોપી અશોક પરમારે ફરિયાદીને પકડી રાખ્યા હતા અને ત્યાર બાદ ભીખા પરમારે તેના ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો તે સમયે ફરિયાદીએ તેનો ડાબો હાથ વચ્ચે નાખતા આરોપીએ તલવાર ઝીકિને તેના હાથનો અંગુઠો કાપી નાખ્યો હતો. તેમજ પથ્થર વડે માથામાં મારીને ગંભીર ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઇજા પામેલ મહિલે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલ દલીલ અને રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી દેવજીભાઈ ઉર્ફે ભીખાભાઈ રૂપાભાઇ પરમાર અને અશોકભાઈ રૂપાભાઇ પરમારને 10 વર્ષની સજા તેમજ બંને આરોપીને 31-31 હજાર રૂપિયાનો દંડ કરેલ છે. અને આ જે દંડની રકમમાંથી ભોગ બનેલ મહિલાને 50 હજાર વળતર આપવાનો આદેશ કર્યો છે.






Latest News