સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક


SHARE











સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂકની ઘોષણા અખિલ ભારતીય અધિવેશન, કોઇમ્તુર ખાતે કરવામાં આવી છે. આ પ્રસંગે અધિવેશનમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી 34 કાર્યકર્તાઓ ગયા હતા. તેમાં 8 સંસ્કૃત પરિવાર પણ સામેલ હતા. સંસ્કૃતા નિરાગીઓનો મહાસંગમ સંસ્કૃતભારતીના અધિવેશનમાં જોવા મળ્યો હતો.

સમગ્ર દેશ વિદેશમાંથી સંસ્કૃત પ્રેમીઓ, વિદ્વાનો, શિક્ષણવિદો, સંસ્કૃતિ રક્ષકો, સંસ્કૃત કુટુંબોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓ અને સંસ્કૃત પ્રેમીઓમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો ધનેશ્રીબેન ભટ્ટ ગુજરાતમાં સંસ્કૃત ભારતીની શરૂઆતથી જ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલા છે અને તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે અથાક પ્રયાસો કર્યા છે.

ધનેશ્રીબેનનો સંસ્કૃત સેવાનો પ્રવાસ પ્રેરણાદાયી છે. તેમણે સંસ્કૃત ભારતીમાં સામાન્ય નગર સંયોજકથી લઈને પ્રાંત સ્તરના વિવિધ દાયિત્વો સફળતાપૂર્વક નિભાવ્યા છે. વિશેષ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી 2024 સુધી તેમણે કેનેડામાં રહીને પણ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. આ દરમિયાન તેમણે વિદેશની ધરતી પર સંસ્કૃતના મૂલ્યો અને મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તેમની આ સેવાઓએ સંસ્કૃત ભારતીના વૈશ્વિક વિસ્તરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.ધનેશ્રીબેનનો અનુભવ અને સમર્પણ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમની નવી ભૂમિકામાં તેઓ સંસ્કૃત ભાષાના પ્રચાર, સંગઠનના વિસ્તરણ અને યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાના કાર્યને વધુ ગતિ આપશે એવી આશા છે.

આ પ્રસંગે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાન્ત સેનાપતિજી, પ્રાંત મંત્રી પંકજભાઈ ત્રિવેદી, સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ, સંસ્કૃત ભારતીના ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ વાગડિયા, વલ્લભભાઈ સીદપરા, પંકજભાઈ પાંચાણી, પ્રાંત ગણના સદસ્યો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ કાર્યકર્તાઓએ ધનેશ્રીબેનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત ધનેશ્રીબેનના નેતૃત્વમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સાંસ્કૃતિક જાગૃતિના કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. એવું સંસ્કૃત ભારતીના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો. કિશોરભાઈ શેલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.






Latest News