મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ: 14.47 કામોની શહેરને આપી ભેટ


SHARE











મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ: 14.47 કામોની શહેરને આપી ભેટ

મોરબીના વેજીટેબલ રોડે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સત્સંગ હોલમાં આજે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જિલ્લાનું નામ રોશન કરનારા ખેલાડીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત મોરબી જિલ્લાને મંત્રીએ 14.47 કરોડના જુદાજુદા વિકાસ કામોની ભેટ આપી હતી.

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં 3.97 કરોડના 27 કામોનું ખાતમુહૂર્ત અને 10.49 કરોડના કામોનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબી જિલ્લાના આદિજાતિ સમુદાયના રમતવીરોખેલાડીઓ અને સફળ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબીના ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઇ બોપલિયા, મોરબી જિલ્લા બિલ્ડર એસો. પ્રમુખ સંતોષભાઈ સેરશિયા, મેઘરાજસિંહ ઝાલા, હસુભાઈ પંડ્યા, જે.પી.જેસવાણી, સુરેશભાઇ સીરોહિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ખાસ કરીને આ તકે ડો.જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઇ બોપલિયા અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું અને ભગવાન બિરસા મુંડાએ નાની ઉમરમાં પોતાના સમાજ માટે જે કામ કર્યું હતું અને ક્રાંતિ લાવી હતી તેને સહુ કોઈએ યાદ કરીને તેઓના જીવનમાંથી આજની યુવા પેઢીને પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મોરબી શહેર તેમજ આસપાસના ઓદ્યોગીક વિસ્તારમાં રહેતા અને કામ કરતાં આદિવાસી/ આદિજાતિ સમુદાયના લોકો હાજર રહ્યા હતા. 






Latest News