મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા


SHARE







મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા

મોરબીના ભડીયાદ રોડ ઉપર કરવામાં આવેલા નાના-મોટા, કાચા પાકા દબાણો તોડી પાડવા માટે આજે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બે જેસીબી વડે કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિત નાના મોટા કુલ મળીને 100 જેટલા ગેરકાયદે બાંધકામોને આજે મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે

મોરબી મહાપાલિકા બન્યા બાદ મોરબીના રોડ રસ્તા પહોળા થાય અને રોડ રસ્તાની સાઈડમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા દબાણ દૂર થાય તેના માટેની કામગીરી કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે અને જુદા જુદા વિસ્તારોની અંદર અવારનવાર દબાણ તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીના ભડીયાદ રોડ ઉપર ડીલેશનની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે એકી સાથે બે જેસીબીને કામે લગાડવામાં આવ્યા હતા.

હાલમાં મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિચ નાના મોટા કુલ મળી ને 100 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડવાનું કામ શરૂ કર્યુ છે અને આજે સાંજ સુધી આ કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર સંજય સોની પાસેથી મળેલ છે.

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે શહેરના રોડ રસ્તાની આસપાસમાં અને વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા સહિતની જગ્યા ઉપર છેલ્લા વર્ષોમાં ઘણા બધા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે  અને તે બાંધકામો તોડવા માટેની કામગીરી ચાલી રહી છે સાથો સાથ બીજી બાજુ લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને હાલમાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે અને ભડીયાદ રોડને પહોળા બનાવવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકોને સારામાં સારા રોડની સુવિધા મળે તે માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News