મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ: જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા પણ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE











મોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ: જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા પણ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા જલારામ મંદિર ખાતે દીપાવલીના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિતરણ તા.૧૭ થી ૧૯ ઓકટોમ્બર વચ્ચે કરવામાં આવશે એટ્લે કે શુક્રવાર, શનીવાર તેમજ રવિવાર સુધી વિતરણ ચાલુ રહેશે. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ તેમજ ફરસાણ મળશે અને તેના માટે કોઈપણ પ્રકારના એડવાન્સ બુકીંગ કે નામ નોંધાવવાની જરૂર નથી. અને વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

જૈનમ ગૃહ ઉદ્યોગ
મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું  છે અને બરફી, થાબડી, મોહનથાળ, કાજુ કતરી, ટોપરા પાક, મિક્ષ મીઠાઈ, તેમજ ફરસાણમાં ચકરી, ચવાણું, સકરપારા, ફરસી પૂરી, નાયલોન ચેવડો અને બટર ભાખરવડીનુ વિતરણ કરવામાં આવશે તેના માટે સંસ્થા દ્વારા બુકિંગ લેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જીનેશભાઈ, પારસભાઈ, ગૌતમભાઈ અને વી.કે. મહેતા દ્વારા તેઓની ટીમને સાથે રાખીને મીઠાઇ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે.






Latest News