મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ: સરપંચની ચીમકી


SHARE













મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ: સરપંચની ચીમકી


મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેને રોકવા માટે ગામના યુવા સરપંચ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ખનીજ ચોરી બંધ કરાવવાની માંગ કરી છે જો કે, ખનીજ ચોરી બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની સરપંચે ચીમકી ઉચ્ચારી છે.

 

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને આજે ગામના સરપંચ ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને તેઓના ગામની સીમમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને ગેરકાયદે જે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેને બંધ કરવામાં આવે તેવી માંગ તેઓના દ્વારા કરવામાં આવી છે અને વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, દોઢેક વર્ષ પહેલા તેઓએ ખનીજ ચોરી ચાલી રહી હતી ત્યારે રજૂઆત કરી હતી જેથી કરીને ખનીજ ચોરી બંધ હતું જો કે, હાલમાં ઉંદરડી માતાજીનાં મંદિર નજીકથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી તેને બંધ કરાવવાની રજૂઆત કરી છે અને જો અરજીને ધ્યાને લઈને ખનીજ ચોરીને બંધ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ખનીજ ચોરી કરવામાં આવતી હશે ત્યાં ગામના લોકોને સાથે રાખીને મીડિયાની હાજરીમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News