મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

દારૂ નહીં તો દવા..! : માળિયાના ખીરઇ ગામે પુત્રએ દારૂ પીવાની ના પાડતાં દવા પી ગયેલા વૃદ્ધનું મોત


SHARE











દારૂ નહીં તો દવા..! : માળિયાના ખીરઇ ગામે પુત્રએ દારૂ પીવાની ના પાડતાં દવા પી ગયેલા વૃદ્ધનું મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામે ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન ભીલ વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા-મિંયાણાના ખીરઇ ગામે રહેતા અને મૂળ છોટા ઉદેપુરના કવાટ તાલુકાના ખડલા ગામના રહેવાથી પાંગલીયાભાઇ જરખાભાઇ ભીલ આદિવાસી નામના ૬૦ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા તેનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયું હતું.જે અંગે તેમના પુત્ર રૂવજીભાઈ પાંગલીયાભાઇ ભીલે પોલીસ મથક ખાતે જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેઓના પિતા મૃતક પાંગલીયાભાઇને દારૂ પીવાની કુટેવ હોય તેઓને દારૂ પીવાની ના પાડી હતી જે ઠપકો મનોમન લાગી આવતા તેમના પિતા પાંગલીયાભાઈએ ઝેરી દવા પી લીધી હતી. ગત તા.૨-૧૨ ના રોજ પાંગલીયાભાઇએ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાં તા.૧૧-૧૨ ના વહેલી સવારના ચારેક વાગે પાંગલીયાભાઇનું મોત નીપજયું હતું બનાવ સંદર્ભે બીટ જમાદાર ગીરીશભાઈ મારૂણીયા તપાસ ચલાવી રહ્યા છે.

છરી સાથે પકડાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે માળીયા ફાટકેથી નીકળે અર્ટીકા કારને અટકાવી તલાસી લેતાં રાજકોટના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતો ફિરોઝ અયુબ જામ નામનો ૨૬ વર્ષીય યુવાન છરી સાથે મળી આવતા તેના વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.હળવદ પોલીસે હળવદના શરણેશ્વર મંદિર પાસેથી નીકળેલા યશ ઉર્ફે ગૌતમ જયંતી ગોઠી જાતે પટેલ (૧૮) ધંધો ખેતી રહે.કણબીપરા વાળાની અંગે ઝડતી લેતાં તેની પાસેથી ધારદાર છરી મળી આવતા તેના વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.






Latest News