મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી


SHARE







હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી

હળવદ ભાજપના મહિલા અગ્રણીના પતિએ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી માલગાડીની આડે પડતું મૂક્યું હતું અને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા ભાજપના મહિલા આગેવાન જશુબેન પટેલના પતિ શાંતિલાલ નરસીભાઈ પટેલ (58)એ કોઈપણ કારણોસર જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર માલગાડીની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની જાણ થતા ભાજપના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમજ મૃતક શાંતિભાઈ પટેલ દ્વારા ક્યા કારણોસર આપઘાત કરવામાં આવેલ છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News