હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન


SHARE











વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ આંખની હોસ્પિટલ અને બંધુ સમાજ દવાખાનાનું સંચાલન કરવામાં આવી રહયું હોય, જેનો લાભ સમગ્ર પંથકના નાગરીકો લઇ રહયાં છે.

ત્યારે ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવાના વિસ્તાર સાથે વધુને વધુ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે તે માટે વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર કિરણ સીરામીક ગ્રાઉન્ડ સામે વિશાળ જગ્યામાં બનાવા જઇ રહેલ નવી મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભુમીપુજન કરવામાં આવ્યું હતું.આ તકે ટ્રસ્ટને સમર્પીત લંડનથી આવેલા દાતાઓ-ડોકટરો તથા ટ્રસ્ટી મંડળ સહીતના મહાનુભાવો દ્વારા સંસ્થાની પ્રવૃતિઓ પર પ્રકાશ પાડી જણાવ્યું હતું કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર મોરબી જીલ્લામાં એકમાત્ર ટ્રસ્ટ છે, જે લોકોને આંખમાં મોતીયા અને ત્રાસી આંખના ઓપરેશનની વિનામુલ્યે અને રાહતદરે સુવીધા પુરી પાડે છે. દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર દ્વારા રાહત દરે વૈદકીય સારવાર પણ આપવામાં આવે છે.આ ઉપરાંત અત્યાર સુધીમાં રપ જેટલી સ્કુલોને નવી બનાવી છે અથવા ફર્નીચર, બેન્ચીસ વગેરેની સહાય કરેલી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું લક્ષ્ય ટેકનોલોજી સેન્ટર પણ બનાવાયું છે. જેમાં વિદ્યાર્થીઓને અત્યારની અત્યાધુનીક ટેકનોલોજી સાથે સુસંગત કરાવી શકાય, જે બાદ ટ્રસ્ટના નવા પ્રોજેકટનું ભુમિપુજન કરાયું હતું






Latest News