મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું. મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30, રહે. ગાત્રાળનગર ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતે પોતાના ગામમાં હતો ત્યારે એસીડ પી જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અહીં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 7:30 વાગ્યાં આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક મનીષ 4 ભાઈ 2 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 પુત્ર છે. તે સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.બીજા બનાવમાં નરશીભાઈ કાનાભાઈ મજેવડીયા (ઉંમર વર્ષ 65, રહે. ભાલકા ગામ, તાલુકો વેરાવળ, જીલ્લો ગીર સોમનાથ) ગઈ તા.27/9 ના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ લાઈફ લાઈન હોસ્પિટલ વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા દાખલ કરાયા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું






Latest News