ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે


SHARE











મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે

મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજની પવિત્ર જગ્યાઓ મોજુદ છે જે ઈતિહાસ સાથે જોડાયેલ છે તેમાં મુખ્યત્વે મૌલાઈ રાજા સાહેબ દરગાહ, મૌલાઈ રાજા સાહેબની મસ્જીદ, મૌલાઈ રાજા સાહેબનો કુવો, મૌલાઈ રાજા  સાહેબનું મકાન સામેલ છે જે ઈશ્વરની કસોરીની અને ઈશ્વર-અલ્લાહ સાથે જોડાવવાની અને કુદરત સાથેના પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે ત્યારે મોરબીમાં તા ૧૨થી ૧૪ દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે.

મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજના દાઈ સૈયદના નુર મોહમ્મદ નુરૂદીન સાહેબ જેમની દરગાહ માંડવી કચ્છ મુકામે છે તેમની મસ્જીદ, સુરત મુકામે જેમની દરગાહ છે તેવા સૈયદના અબ્દેઅલી સૈફુદીન સાહેબના ગુરફા મુબારક અને આપની એતીહાસિક મસ્જીદ આ તમામ સ્થળો હાલના સમયમાં મોજુદ છે આ તમામ ઈમારતો દાઉદી વ્હોરા સમાજ માટે એક ગૌરવવંતા ધાર્મિક લાગણી સાથે જોડાયેલ છે મૌલાઈ રાજા સાહેબ હી. ૮૩૫ ઈ.સ. ૧૪૧૪ માં પાટણથી મોરબી મુકામે તશરીફ લાવ્યા અને મોરબીને દારૂલ હિજરત બનાવ્યું. મૌલાઈ રાજા સાહેબ જે ઘરમાં રહેતા હતા તે હાલમાં હયાત છે અને આજ શેરીમાં મૌલાઈ રાજા સાહેબની મસ્જીદ આવેલી છે અને એજ મસ્જીદમાં તારીખી એતિહાસિક અને ધર્મનું પ્રતિક સમાન કુવો પણ મોજુદ છે

આપના સમયમાં કાઠીયાવાડમાં પાણીની કટોકટી સર્જાતા મૌલાઈ રાજા સાહેબે વાંકડા ગામ પાસે ચાર ગામના સીમાડની વચ્ચે એક વાવ બનાવી જેનાથી અનેક લોકોએ એ વાવનો ફાયદો લીધો આ વાવ હાલમાં પણ છે મોરબીમાં આવેલ દરગાહ મોરબી શહેરની શાનો-શોકાત અને ખુદા અને તેમના બંદા વચ્ચે કસોટીનું પ્રતિક છે આ દરગાહને ખુશ્બુ ગુજરાત હેરીટેજ તેમજ ટુરીઝમ હેઠળ પણ સમાવવામાં આવેલ છે. મોરબી શહેર દાઉદી વ્હોરા સમાજનું પવિત્રતા અને ધાર્મિક વૈશ્વિક ઈતિહાસ તેમજ દાઉદી વ્હોરા સમાજની પ્રેરણા અને શ્રદ્ધા માટે ઉત્તમ ધાર્મિક લાક્ષણિકતા ધરાવતું સ્થળ છે. આપ હિજરી કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની ૨૩ મી તારીખે વફાત થયા હતા મોરબીમાં અને દુનિયામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આપનો ઉર્ષ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે લાખો લોકો દેશ વિદેશમાંથી આપની દરગાહ પર આવીને માથું નમાવી પોતાની ઉમ્મીદો પૂરી કરે છે.






Latest News