મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે આવેલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માટે ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યાની માહિતી તેઓને મળેલ છે. જેમાં કૈલાસડેરીથી સ્ટેટ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલના કામમાં ભ્રષ્ટ્રાચાર, આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલના કામમાં ભ્રષ્ટ્રાચાર, સમશાન ન સામે વાવવામાં  આવેલ વ્રુક્ષા રોપણના કામમાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવવા માટે રજૂઆત કરીને તાત્કાલિક  યોગ્ય પગલા  લેવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News