ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પરણિતાએ પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પરણિતાએ પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટની પરણિતાએ હાલમાં તેના પતિ, સાસુ-સસરા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે તેને સંતાન અને કરિયાવર બાબતે મારામારીને ઝઘડો કરતા હોવાની તેમજ મારકૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ ઘાંચી પીંજારા જમાતખાનાની સામે રહેતા રઝીયાબેન યાસીનભાઈ બાંભણીયાએ હાલમાં તેના પતિ યાસીનભાઈ આમદભાઇ બાંભણીયા, આમદભાઇ ખાનભાઇ બાંભણીયા, મુમતાજબેન આમદભાઇ બાંભણીયા અને અફસાનાબેન આમદભાઇ બાંભણીયા રહે. બધા જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ વાળાની સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તમામ આરોપીઓ તેઓને સંતાન બાબતે તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણા-ટોણા મારીને ઝઘડો કરતા હતા અને ગાળો આપીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને હાલમાં મહિલાની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News