મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા


SHARE













વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા (25), રણછોડભાઈ જગદીશભાઈ વિજવાડીયા (32), વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા (25), ચતુરભાઈ ગોવિંદભાઈ ચાવડા (27) અને જયેશભાઈ શામજીભાઈ ચાવડા (32) રહે. બધા નવાપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વીંછી કરડી ગયો

માળીયા મીયાણા તાલુકાના રાયસંગપર ગામે રહેતા રાજેશભાઈ વશરામભાઈ સનારીયા (47) નામના યુવાનને ઘરે હતો ત્યારે ત્યાં વીંછી કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ગીતાબેન ચંદુભાઈ રૂદાતલા (40) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News