મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી


SHARE







મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી

મોરબીના વિરપર ગામે આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે ગણેશ ચતુર્થી અવસર નિમિત્તે ડૉ.લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા ગણેશજીનું સ્થાપન, પૂજન અને યજ્ઞાદિક વિધિવિધાનો સાથે ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સિનિયર સીટીઝન ફાઉન્ડેશન- મોરબીના મહાનુભાવો, ફાઉન્ડેશનના હોદેદારશ્રીઓ અને સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂ અને ડૉ.અનીલ મહેતાએ પ્રાસંગિક વકતવ્ય આપેલ. કાર્યક્રમને અંતે લહેરૂ પરિવાર દ્વારા ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.સિનિયર સિટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા ડૉ. લહેરૂનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.મહારાજ બાપુ ગુરૂ શામજી બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ડૉ. ભાવેશ જેતપરિયા, ઉપપ્રમુખ એન. એમ.ચડાસણિયા, લક્ષ્મણભાઈ દેત્રોજા, રેખાબેન ટાંક, ઉર્મિલાબેન લહેરુ, સવજીભાઈ અઘારા, એડ.જગદીશભાઈ ઓઝા, કે.પી.ભાગિયા, પી.એન.રાકજા વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.

 






Latest News