મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી


SHARE













મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી

મોરબીના વિરપર ગામે આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે ગણેશ ચતુર્થી અવસર નિમિત્તે ડૉ.લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા ગણેશજીનું સ્થાપન, પૂજન અને યજ્ઞાદિક વિધિવિધાનો સાથે ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સિનિયર સીટીઝન ફાઉન્ડેશન- મોરબીના મહાનુભાવો, ફાઉન્ડેશનના હોદેદારશ્રીઓ અને સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂ અને ડૉ.અનીલ મહેતાએ પ્રાસંગિક વકતવ્ય આપેલ. કાર્યક્રમને અંતે લહેરૂ પરિવાર દ્વારા ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.સિનિયર સિટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા ડૉ. લહેરૂનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.મહારાજ બાપુ ગુરૂ શામજી બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ડૉ. ભાવેશ જેતપરિયા, ઉપપ્રમુખ એન. એમ.ચડાસણિયા, લક્ષ્મણભાઈ દેત્રોજા, રેખાબેન ટાંક, ઉર્મિલાબેન લહેરુ, સવજીભાઈ અઘારા, એડ.જગદીશભાઈ ઓઝા, કે.પી.ભાગિયા, પી.એન.રાકજા વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.

 






Latest News