મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત


SHARE













મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા આધેડ દવા પી ગયા હતા અને ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મકનસર ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાકોર (૫૦) નામના આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપી હતી.જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થતાં તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થવા પામી હતી.જેની આગળની તપાસ એ.એચ.પરમાર દ્વારા કરવામાં આવી હતી.હાલ કયા કારણોસર સુરેશભાઈ ઠાકોરે અંતિમ પગલું ભર્યું ? તે તપાસના વિષય છે.

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા મનીષભાઈ નાથાભાઈ સાગઠીયા નામનો૧૭ વર્ષનો યુવાન ગામના પાટીયા પાસેથી પગપાળા જતો હતો ત્યારે બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

ટંકારાના મીતાણા ગામે રહેતા મુકેશ તકેદિયાભાઈ વસુનીયા નામના ૧૮ વર્ષના યુવાનને  તા.૨૫-૮ ના રાત્રીના બે વાગ્યે ઘરેથી ચાર લોકો દ્વારા ઉઠાવી જવામાં આવ્યો હતો અને બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો જેની ટંકારા હોસ્પિટલે પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી બનાવ અંગે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.એમ.કમોયા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.

આધેડ સારવારમાં

વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ધીરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોશી નામના ૬૩ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે પુલ દરવાજા નજીક વાહન સ્લીપ થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના દેગામ ખાતે રહેતા કાશીબેન સુંડાભાઈ કલાડિયા નામના ૮૦ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે હળવદના સરંભડા અને પાંડા તીરથના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી નજીકના ઘુંટુ ગામે રહેતા પ્રકાશભાઈ રતિલાલ દેથરીયા નામના ૩૨ વર્ષના યુવાનને ઘુંટુ ગામે આવેલ બાલાજી કાંટા નજીક કંઈક જનાવર કરડી ગયેલ હોય તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે






Latest News