ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર


SHARE











માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણાના મોટા દહિંસરા ગામ પાસે ફાયરિંગનો બનાવ બનેલ હતો જેથી આર્મ્સ એકટ તથા ખની હુમલો કરવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પકડાયેલ આરોપી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામી અને પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)એ તેઓના વકીલ મારફતે મોરબીના એડી. પ્રિન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના પુરાવાઓને ધ્યાને લઈને બને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, મોટા દહીંસરા ગામ સામે ફરિયાદી પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી હતો ત્યાર અજાણ્યા વ્યક્તિએ તેના ઉપર ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ આપી હતી જે ગુનામાં પહેલા આરોપી તરીકે પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)ની ધરપકડ કરી અને ત્યાર બાદ ફરિયાદી જ તેના ઉપર ફાયરિંગ કરાવ્યુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ફરિયાદ તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીની આરોપી તરીકે ધરપકડ કરી હતી અને તે બંને આરોપી જેલમાં હતા દરમ્યાન તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીએ તેના વકીલ ગોપાલભાઈ ઓઝા અને પરેશ ગોપાલભાઈ ઉધરેજાએ તેના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલોએ કરેલ દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે શરતોને આધીન બંને આરોપીઓને મુક્ત કરવા માટેનો હુકમ કરેલ છે. આ કેસમાં તરૂણ ગામી તરફે ગોપાલભાઈ ઓઝા અને મેનાઝબેન પરમાર રોકાયેલ હતા જયારે આરોપી પરેશ ગોપાલભાઈ ઉધરેજા તરફે દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.






Latest News