ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર-બંધુનગર ગામની સમસ્યાનો સુખદ અંત


SHARE











મોરબીના મકનસર-બંધુનગર ગામની સમસ્યાનો સુખદ અંત

મોરબીના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ 8-A નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટર તથા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાનીમાં ગામના આગેવાનો તથા સરપંચઓએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. ત્યાર બાદ બેઠક દરમિયાન મકનસર ગામના સરપંચ અવચરભાઈ દેગામ, બંધુનગર ગામના સરપંચ શેલેશભાઈ દલસાનીયા તથા  બંધુનગર ગામના ઉપસરપંચ રમેશભાઈ ભાડજા, સામજિક યુવા આગેવાન ત્રિગુણભાઈ કૈલા, નૈમિશભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને કલેક્ટરે રજૂઆતને ગંભીરતાથી લઈ શકાય નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવા ગંભીરતાથી ચેતવણી આપી તથા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.






Latest News