મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે


SHARE













મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે

શક્તિપીઠ અંબા ધામમાં ભાદરવી પૂનમે શીશ ઝૂકાવવા માટે દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેવી જ રીતે મોરબીથી છેલ્લા ૨૭ વર્ષથી શ્રી અંબિકા પદયાત્રા સંઘ અંબાજી જાય છે અને તેની સાથે ઘણા લોકો જોડાય છે

આ વર્ષે તા ૨૭ ને બુધવારે અંબાજી માતાજીના ધામ સુધી જવા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવશે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા કરવામાં આવે છે. વધુમાં આયોજકે જણાવ્યુ છે કે, તા. ૨૭ ના રોજ સવારે માઈ ભક્તોની મોટી સંખ્યામાં વાજતે ગાજતે જય અંબેના નાદ સાથે મોરબીથી સંઘ સાથે રવાના થશે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ સાથે પદયાત્રા સંઘ રવાના થશે સેવાગણમાં સતીષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, રસોડા વિભાગમાંથી ધનજીભાઈ કાવર, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવાર દર વર્ષની જેમ સેવાકાર્યમાં જોડાયેલ છે






Latest News