મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં લેણા પેટે આપેલ ચેક પરત ફરતા એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવા આદેશ કરતી કોર્ટ


SHARE













મોરબીમાં લેણા પેટે આપેલ ચેક પરત ફરતા એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવા આદેશ કરતી કોર્ટ

મોરબીમાં કાયદેસરના લેણા પેટે આપેલ ચેક પરત ફરતા, કરાયેલ કેસમાં આરોપીઓને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો આદેશ મોરબી કોર્ટે કરેલ છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે, જે કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીમાં આવેલ કેરા વીટ્રીફાઈડ એલએલપી ના ભાગીદાર વિવેક ભીમજીભાઈ ગોધવીયાએ, મોરબીમાં આવેલ કે-માર્ક બીઝસોલ પ્રા.લી. તથા તેના ડાયરેકટર્સ અનુકૂમે ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા તથા રોહીત ચતુરભાઈ કાવર સામે સને ૨૦૧૯ માં ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ રૂા.૫૦,૫૦,૨૩૭ નો વણચૂકવ્યો પરત થતા, ફરીયાદીએ, આરોપી કંપની કે-માર્ક બીઝસોલ પ્રા. લી. અને કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવર વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી કેસ નાં. ૬૪૮૭/૨૦૧૯ થી દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા, ફરીયાદી કેરા વીટ્રીફાઈડ એલએલપી વતી રજુ થયેલા પુરાવાઓ અને ફરીયાદીના વકીલ ચિરાગ ડી.કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ રાખેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.પ્રિન્સીપાલ સીનીઅર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.એ.ઈજનેર દ્રારા આરોપીઓ તે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવરને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ઉપર ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી નવ ટકા સાદા વ્યાજ સહીત વળતર પેટે દીન-૩૦ માં ચૂકવી આપવાનો અતિ મહત્વનો અને સીમાચિહન ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.






Latest News