મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.


SHARE











મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.

મોરબી શહેરમાં રાજાશાહી વખતનું ધોળેશ્વર સમશાન આવેલ છે.આ સ્મશાન પાસે ધોળેશ્વર  મહાદેવનું મંદિર પણ આવેલું છે.અહીં જ મોરબી સ્ટેટનું સમશાન પણ આવેલ છે.તેમજ ગોસ્વામી સમાજનું સમશાન પણ અહીં જ છે.

હાલમાં આ પુરાણું સમશાન સાવ જર્જરિત હાલતમાં થઇ ગયેલ છે. હાલમાં કોઈ માનવ સબને અગ્નિ સંસ્કાર દેવાનું હોય ત્યારે ખુબ જ મુશ્કેલી પડી રહી છે.આ સમશાનનું સંચાલન મોરબીની પાંજરાપોળ સંસ્થા હસ્તક છે.આ સ્મશાનનો ઉપયોગ મોરબીના ઘણા વિસ્તારના લોકો કરી રહ્યા છે.ત્યારે આ સમશાનનું આધુનિકરણ કરીને ગેસ આધારિત સ્મશાન બનવવામાં આવે તેમજ એક પ્રાર્થના હોલનું જો મહાનગર પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવે તો ઘણા લોકોને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેમ છે.તો આ બાબતે પાલીકા દ્વારા ગ્રાન્ટ ફાળવીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્રારા મહા પાલીકાના કમિશ્નરને કરવામાં આવેલ છે.






Latest News