મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ પાસે વૃદ્ધનું અને અણિયારી ચોકડી નજીક યુવાનનું અકસ્માતમાં મોત


SHARE











મોરબીના જસમતગઢ પાસે વૃદ્ધનું અને અણિયારી ચોકડી નજીક યુવાનનું અકસ્માતમાં મોત

મોરબી તાલુકાના બે જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના બે બનાવ બનેલ હતા જેમાં એક વૃદ્ધ અને એક યુવાનનું મોત નીપજયું છે જેથી બંને બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ જસમતગઢ ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પીઠાભાઈ ભીમાભાઇ ગોહિલ (60) રહે. મારુતિ પાર્ક સોસાયટી પીપળી ગામ વાળાનું મોત નીપજયું હતું આ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી અને વધુમાં તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ નોકરી ઉપરથી ઘરે જતાં હતા ત્યારે પેટ્રોલ પંપેથી તેના  વાહનમાં પેટ્રોલ ભરાવીને રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે તેના બાઇકને બોલેરોના ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું

જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબી તાલુકાના અણીયારી ચોકડીથી માળિયા બાજુ જતા રસ્તે બન્યો હતો જેમાં ડબલ સવારી બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં વિકાસ રામજતભાઈ સેન (25) રહે. અણીયારી ચોકડી મામા લેમીનેટ કારખાના પાસે તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે. બડાગામ તાલુકો સુહાગી જીલ્લો રિવા મધ્યપ્રદેશ નામના યુવાનનું અકસ્માત બનાવમાં મૃત્યુ નીપજ્યું હતું.

જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા આ બનાવની હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા આર.આર.મિયાત્રા દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી જો કે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી હવે આગળની તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અને અન્ય મજૂર બાઇક ઉપર શાકભાજી લેવા માટે માળીયા જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જેમાં યુવાનનું મોત નીપજયું છે.






Latest News