મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત

વાંકાનેરમાં આવેલ નંદવાણા શેરી પ્લે હાઉસની બાજુમાં રહેતી મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે સવારે ઘરે કોઈને કશું જ કહ્યા વગર તે મહિલા નીકળી ગઈ હતી અને ત્યાર બાદ તિથવા ગામ પાસે વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસો બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની નંદવાણા શેરીમાં પ્લે હાઉસની બાજુમાં રહેતા મીનાબેન રમેશભાઈ મઢવી (50) નામના મહિલાએ તીથવા ગામ પાસે આવેલ વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે વહેલી સવારે તે પોતાના ઘરે કોઈને કશું કર્યા વગર પોતાની જાતે નીકળી ગઇ હતી અને ત્યારબાદ તેણે વડસતળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇજાગ્રસ્ત સારવારમાં

ડુંગરપુર ગામે રહેતા કાંતિભાઈ પ્રભુભાઈ પાટડીયા (50) નામના આધેડ ટિંબડી ગામ પાસે ટ્રકમાંથી પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

જનાવર કરડી ગયું

મોરબીના ઝીકિયારી ગામે રહેતા કાંતિભાઈ છગનભાઈ સોલંકી (52) નામના આધેડ ઘરે હતા ત્યારે કોઈ જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News