મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારા-લતીપર રોડ પર આજી નદી પરના મેજરબ્રિજ પર મરામતની કામગીરી કરવાની હોય ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ


SHARE













ટંકારા-લતીપર રોડ પર આજી નદી પરના મેજરબ્રિજ પર મરામતની કામગીરી કરવાની હોય ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ

મોરબી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ટંકારા તાલુકામાં આવેલ લતીપર સાવડી રોડ પર આજી નદી પર આવેલ મેજરબ્રિજ પર મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અન્વયે જામનગર થી આવતા વાહનો ધ્રોલ થી પડધરી, મીતાણા, ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલ થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડીથી મોરબી અને કચ્છ જઈ શકશે. કચ્છથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડી થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી આમરણ ધ્રોલ થઈને જઈ શકશે તથા મોરબી થી મીતાણા, પડધરી થઈને ધ્રોલ, જામનગર જઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.






Latest News