મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE











મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ દ્વારા કૃષ્ણ ભક્તિના ડાન્સ-નાટ્ય રજુ કરવામાં આવ્યા હતા તેમજ વાસુદેવ નાના બાલ ગોપાલને નંદ બાબાને ત્યાં મુકવા જાય તેવા દ્રશ્યો રજુ કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકોએ આવેલ કૃષ્ણ ભક્તોને કૃષ્ણના પ્રસંગો અને વિષ્ણુ ભગવાનના 10 અવતારની માહિતી પણ આપેલ હતી. તે સાથે શાળાના વિધાર્થીઓને સ્પર્ધાના ઇનામો પણ આપવામાં આવ્યા હતા આ મહોત્સવમાં બહેનો અને ભાઈઓ એમ બંને દ્વારા અલગ અલગ મટકી ફોડવામાં આવેલ અને ત્યાર બાદ દરેક લોકો રાસ ગરબા કરીને આ ઉત્સવની ઉજવણી કરેલ હતી અને અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ આવેલ તમામ વાલી અને નાના કાનુડા અને રાધા બનેલ વિધાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિધાર્થી અને શિક્ષકગણને અભિનંદન આપેલ હતા






Latest News