વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી NTEP અધિકારી પિયુષભાઈ જોશીના પુત્ર જૈમિનએ જન્મદિન રૈનબસેરાના બાળકો સાથે ઉજવ્યો અને ટી.બી. દર્દીને  પોષણ કીટ આપી


SHARE











મોરબી NTEP અધિકારી પિયુષભાઈ જોશીના પુત્ર જૈમિનએ જન્મદિન રૈનબસેરાના બાળકો સાથે ઉજવ્યો અને ટી.બી. દર્દીને  પોષણ કીટ આપી

મોરબી જિલ્લાના NTEP (National Tuberculosis Elimination Program) ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ જોશીના પુત્ર જયમિન પિયુષ જોશીએ પોતાનો 8 મો જન્મદિવસ એક ઉમદા અને અનોખી પદ્ધતિથી ઉજવ્યો હતો.જૈમિનએ પોતાનો જન્મદિવસ બાળવાટિકા મહારાણી શ્રી નંદકુવરબા આશ્રયગૃહ, રૈનબસેરા, મોરબી ખાતે રહેતા બાળકો સાથે ઉજવીને ખુશી વહેંચી. બાળકો સાથે કેક કાપીને બાળકોને ખૂબ જ આનંદિત કર્યા હતા.

જન્મદિન નિમિત્તે સમાજસેવાના ઊંડા ભાવ સાથે, જૈમિનએ પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ભાગીદાર થવા માટે એક ટીબી દર્દીને ટી.બી.હોસ્પિટલ ખાતે પોષણ કીટ આપી હતી.પિતા તરીકે પિયુષભાઈ જોશી દ્વારા તેમના પુત્રને નાની ઉંમરે જ માનવસેવા અને સમાજપ્રત્યે પુર્ણ જવાબદારીની ભાવના આપવાનો પ્રયાસ અભિનંદનીય છે.આવા સાદગીભર્યા, પરંતુ હ્રદયસ્પર્શી ઉપક્રમ સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે કે ખુશી જ્યારે વહેંચવામાં આવે ત્યારે તેનો આનંદ અનેકગણો વધી જાય છે.






Latest News