વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા


SHARE











મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં નવાડેલા રોડ પર રહેતા યુવાનના ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તેની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આધાર પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા 1/8/2020 ના રોજ મોરબીના નવાડેલા રોડ પર રહેતા સકીલ રફીકભાઈ પીઠડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ઘર પાસે રાત્રિના સમયે બહારથી પરત આવેલ તેનો મોટો ભાઈ અનીશ શેરીમાં ઊભો હતો અને થોડીવારમાં તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો અને કેમ કે, અનીશને જાબીછરી મારી હતી અને આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાએ ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને ફરિયાદીના ભાઈને છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીના ભાઈ અનીશ પીઠડીયાને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજયું હતું અને હત્યાના આ બાનવનો કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે 15 સાહેદોને તપસ્યા હતા અને સરકાર પક્ષે 40 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો છે.






Latest News