મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી પરિણીતાઆપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં કોર્ટે આધાર પુરાવાઓ અને સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને મૃતક મહિલાના પતિને 10 વર્ષની સજા ફટકારી છે અને સાસુ, નણંદ અને દિયરને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો આડેધ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ ગત તા. 27/5/18 ના રોજ મોરબીમાં રોહીદાસપરા પાસે આવેલ  ભીમરાવનગરમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) વાળાએ તેના બનેવી ધર્મેન્દ્ર ઉર્ફે મથુરદાસ પોપટ, સાસુ રંજનબેન પોપટ, નણંદ ચાંદની અને દિયર રાહુલ પોપટ રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેઓના બહેન લલીતાબેને ધર્મેન્દ્ર પોપટ સાથે લગ્ન કર્યા હતા અને સંતાન ન થતું હોવાથી તેને મેણાટોણા મારી સાસરિયાઓ હેરાન કરતાં હતા જેથી લલીતાબેને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો જે કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષે 9 સાહેદો તપાસી તેમજ સરકાર પક્ષે 23 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને પત્નીને મારવા માટે મજબૂર કરવાના ગુનામાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ મળીને 20 હજારનો દંડ કર્યો હતો. તેમજ આ કેસમાં મૃતક મહિલાના સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, નણંદ ચાંદનીબેન મથુરાદાસ પોપટ અને દિયર રાહુલ મથુરદાસ પોપટને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.






Latest News