હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો-કાર્યકરોની બેઠક યોજાઇ


SHARE











મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો-કાર્યકરોની બેઠક યોજાઇ

મોરબીમાં આવેલ જલારામ મંદિર ખાતે ગઇકાલે રાતે સર્વે હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા સહિતના આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી.

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે શુક્રવારે રાતે કૃષ્ણ જન્માષ્ટમીના આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આઆવ્યું હતું જેમાં શોભાયાત્રાની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. અને મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન તેમજ સનાતનની હિન્દુ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારે ખાસ કરીને અલગ અલગ સંગઠન અને સર્વે સનાતનની હિન્દુ સમાજ દ્વારા જુદાજુદા ધાર્મિક પ્લોટ્સ બનાવવામાં આવશે અને મોરબીના રાજમાર્ગો ઉપર 19 મટકી ફોડના કાર્યક્રમ થશે આમ મોરબીમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી અત્યારથી જ સક્રિય કાર્યકર્તા તથા અધિકારી હિન્દુ યોદ્ધાઓને શોભાયાત્રાના આયોજન માટેના કામે લાગી જવા આહ્વાન કર્યું હતું તેવું માહિતી સર્વે હિન્દુ સંગઠન કન્વીનર કમલેશભાઈ બોરીચાએ આપી છે.






Latest News