મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું


SHARE











મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું

મોરબી આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાને સિવિલ હોસ્પિટલમાંથી અમુક દર્દીઓના સગાઓ દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. જેવી કે પ્રસૂતિ બાદ મહિલાઓને ચલાવીને બીજા અલગ વોર્ડમાં લઈ જવામાં આવતી હોઈ, કોઈ વ્હીલચેર કે સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ પીએમ રૂમ પાસે મસમોટા ખાડાઓ હતા. ઇમરજન્સી એક્સિટ લખેલા દરવાજાઓને અલીગઢી તાળાઓ મારેલા હતા. પીએમ રૂમની અંદર પાણી પડવાની પણ મોટી સમસ્યા હતી. જેથી કરીને બુધવારે સિવિલની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે બાદ જવાબદાર અધિકારીઓને વીડિયો બતાવીને ત્વરિત કામ ચાલુ કરાવવા માટેનું સૂચન કર્યું હતું જેથી તંત્ર દોડતું થયું છે અને આજે પીએમ રૂમ ઉપર પાણી નિકાલના મોટા ભૂંગળા નાખવામાં આવ્યા, અલીગઢી તાળાઓ તોડી ગ્રિલને ઓઇલ પાણી કરવામાં આવ્યું, ખાડાઓ બુરવામાં આવ્યા, પ્રસૂતિ બાદ મહિલાઓ માટે વ્હીલચેર અને સ્ટ્રેચરની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી, નવું જનરેટર પણ ત્વરિત આવી ગયું, આમ દર્દીઓની અનેક સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે. તેવી માહિતી પંકજભાઈ રાણસરીયાએ આપી હતી.






Latest News